અભિનેતા સંજય દત્તની આગામી ફિલ્મ 'ધુરંધર' તેના ડાયલોગ્સના કારણે કાયદાકીય વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં બલૂચ સમુદાયના અપમાનજનક સંવાદો હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. બલૂચ સમુદાયના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલા અમુક સંવાદો તેમના સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. આ વિવાદને પગલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને તે વિવાદાસ્પદ ભાગોને ફિલ્મમાંથી તાત્કાલિક અસરથી હટાવવા માટે માંગ કરવામાં આવી છે.
ફિલ્મ 'ધુરંધર' પર સંકટ













