અમદાવાદમાં ભેળસેળવાળા ખાદ્યપદાર્થ નાગરિકો સુધી પહોંચતાં અટકાવવા AMCએ એક મોટો નિર્ણય લીધો છે. હવે શહેરના તમામ ખાદ્ય એકમના સંચાલકો માટે તેલના પ્રમાણને ચોક્કસ કરવા ફરજિયાત બન્યું છે. આ માટે દરેક ખાદ્ય એકમ સંચાલકોએ 55થી 60 હજાર રૂપિયા કિંમતના મશીન ખરીદવાની ફરજ રહેશે, જેનાથી તેલની ગુણવત્તા અને પ્રમાણની ચોકસાઈ નિશ્ચિત થઈ શકશે.
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવું જરૂરી
શહેરમાં અંદાજે 42 મોટા ખાદ્ય એકમો દ્વારા મશીનની પ્રાથમિક ખરીદી શરૂ કરવામાં આવશે. નાના ફેરિયાઓ અને લઘુ વેપારીઓ માટે પણ આ મામલે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે, જેથી તેઓ તેલની ગુણવત્તા માપવાના મશીન અને યોગ્ય પ્રક્રિયા અંગે જાણકારી મેળવી શકશે. તંત્ર દ્વારા જણાવ્યું છે કે આ પગલાં નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો પૂરાં પાડવા અને ફૂડ સેફ્ટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે લેવાયા છે.













