શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશ્વકર્મા સોસાયટીની બહાર અંગત અદાવતના કારણે બે જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારો થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.


બલોલનગરમાં જૂથ અથડામણ  

પ્રાપ્ત વિગતો અનુસાર, બલોલનગરમાં રહેતા બે પક્ષો વચ્ચે કોઈ અંગત બાબતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષે લોકો રસ્તા પર આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અથડામણ એટલી ઉગ્ર હતી કે આસપાસ પાર્ક કરેલી ગાડીઓ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, 5 આરોપી પકડાયા

આ પથ્થરમારાની ઘટનામાં કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કેસમાં 5થી વધુ આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સૈની સાથે રણનીતિ પર ચર્ચા


  • Follow us on: