ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ ગરમીથી રાહત મળશે અને રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ભુજ, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ડીસા, ગાંધીનગર, સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કેશોદ, નલિયામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગરમથી રાહત મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની શક્યતાઓ છે. 18મી માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠામાં માવઠાની શક્યતાઓ છે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર,અમરેલી, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સુધી રહી શકે છે.

ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો

ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. સોમવારે બનાસકાંઠાના ડીસામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. જ્યારે મંગળવારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતું. સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી રહ્યો હતો. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમી વધી હતી. હજુ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો