અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કમળ તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને મંજૂરી (લીલીઝંડી) આપી દીધી છે.
નરોડામાંથી ગેરકાયદે બાંધકામો હટાવાશે
નરોડાના કમળ તળાવ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે AMC દ્વારા સ્થાનિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. AMCની આ નોટિસને રદ કરવા માટે દબાણવાળી જગ્યાના 77 જેટલા સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.હાઈકોર્ટે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી અને AMC દ્વારા આપવામાં આવેલી નોટિસને યોગ્ય ઠેરવી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બાંધકામો ગેરકાયદેસર છે.










