મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 11 મે થી ઓખા અને તિરૂપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. નવી ટ્રેન શરૂ થતા ગુજરાતથી દક્ષિણ ભારત તરફ પ્રવાસ કરતા યાત્રીઓ, વેપારીઓ અને તીર્થયાત્રીઓને મોટી રાહત મળશે.આ ટ્રેન દ્વારકા, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ગુજરાતના અનેક મહત્વના શહેરોને સીધી રીતે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તીર્થસ્થળ તિરૂપતિ બાલાજી સાથે જોડશે.

દર સોમવારે ઓખાથી ઉપડશે

ટ્રેન નં.19560 ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ દર સોમવારે ઓખાથી રાત્રે 11.35 કલાકે ઉપડશે.આ ટ્રેન બીજા દિવસે સવારે 8.00 કલાકે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 11.30 કલાકે તિરૂપતિ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 19559 તિરૂપતિ-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 8.15 કલાકે તિરૂપતિથી ઉપડશે.આ ટ્રેન શનિવારે મોડી રાત્રે 1.10 કલાકે અમદાવાદ પહોંચશે અને સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે.

ગુજરાતના અનેક શહેરોને સીધી કનેક્ટિવિટી

આ ટ્રેન થકી ગુજરાતના અનેક શહેરોને સીધી કનેક્ટિવિટી મળી રહેશે.બંને દિશામાં આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, ભરૂચ, સુરત અને ઉધના સહિત અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના અનેક મહત્વના શહેરો સાથે પણ સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે. ટ્રેનની ટિકિટની વાત કરીએ તો જનરલના 300, સ્લીપરના 810, સેકન્ડ એસી 2975 અને થર્ડ એસીની ટિકિટ 2075 છે.


આ પણ વાંચોઃ Tamil Nadu Politics: TVKના 93 નેતા પહેલીવાર બન્યા MLA,40 પર ક્રિમિનલ કેસ, જાણીલો વિજયના ધારાસભ્ય અંગે