અમદાવાદના રહીશો અને રાજસ્થાન જનારા પ્રવાસીઓ માટે ભારતીય રેલવે દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આગામી 18 ફેબ્રુઆરીથી આ ટ્રેન પાટા પર દોડતી થશે, જે બંને શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાની સાથે આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડશે.


ટ્રેનનું શિડ્યુલ અને વિગતો

રેલવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. મુસાફરો આ ટ્રેનનો લાભ અઠવાડિયાના તમામ દિવસોમાં લઈ શકશે, માત્ર મંગળવાર સિવાય. મંગળવારે ટ્રેનના મેન્ટેનન્સ માટે તેને બંધ રાખવામાં આવશે.

મુસાફરોને શું થશે ફાયદો?

અત્યાર સુધી અમદાવાદથી ઉદયપુર જવા માટે સડક માર્ગ અથવા પેસેન્જર ટ્રેનોનો સહારો લેવો પડતો હતો, જેમાં સમય વધુ જતો હતો. હવે વંદે ભારત ટ્રેન શરૂ થવાથીમુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.આરામદાયક બેઠક વ્યવસ્થા અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી મળશે.

આ પણ વાંચો: Surat: 300 કરોડની જમીન પચાવનાર કુખ્યાત ભૂમાફિયા વિનુ માલવિયાની ધરપકડ



  • Follow us on: