અમદાવાદને 'સ્પોર્ટ્સ સિટી' બનાવવાની વાતો વચ્ચે શહેરના હૃદયસમા નવરંગપુરા સ્ટેડિયમની હાલત તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહી છે. વર્ષ 2022 માં જર્જરિત હાલતનું બહાનું ધરીને આ સ્ટેડિયમને તાળાં મારી દેવામાં આવ્યા, પણ નવાઈની વાત એ છે કે ત્રણ વર્ષ વીતવા છતાં અહીં એક ઈંટ પણ હલી નથી. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના સપના જોઈ રહ્યું છે, તો બીજી તરફ હયાત સ્પોર્ટ્સ ઈન્ફરાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે.
નવીનીકરણના વાયદા પોકળ













