દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31મી માર્ચે ફરી એકવાર ગુજરાતની ધરતી પર પધારી રહ્યા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનના પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત રાજ્ય અને દેશને સુખાકારી તથા વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનારી સાબિત થશે. વડાપ્રધાન તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન સેમીકન્ડક્ટર પ્લાન્ટથી લઈને હજારો કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.
મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
વડાપ્રધાન આવતીકાલે સવારે 9:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે કોબા ખાતે નવનિર્મિત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી તેઓ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પહોંચશે અને બપોરે 12:30 વાગ્યે સાણંદ હેલીપેડ પર ઉતરશે. બપોરે 12:45 વાગ્યે સાણંદમાં ભારત માટે અત્યંત મહત્વના એવા 'કેચ સેમીકોન' પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે.
