અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા રેલવે પેસેન્જરો માટે કામના સમાચાર છે. રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી સ્ટેશન પર જરૂરી એન્જિનિયરિંગ કામગીરી કરવા માટે આગામી 19 એપ્રિલના રોજ 'રેલવે બ્લોક' લેવામાં આવનાર છે. આ બ્લોકને કારણે સાબરમતી સ્ટેશન પરથી પસાર થતી બે મુખ્ય ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સાબરમતી રેલવે સ્ટેશન પર 19 એપ્રિલે 'મેજર બ્લોક

રેલવે તંત્ર દ્વારા લેવામાં આવેલા બ્લોકને કારણે બે ટ્રેનો પ્રભાવિત થશે. પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ.આ ટ્રેન નિર્ધારિત તારીખે સાબરમતી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે નહીં.ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ, આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત ટ્રેન પણ બ્લોક દરમિયાન સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેશે નહીં.

મુસાફરો માટે સૂચના

બ્લોક દરમિયાન આ બંને ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશન પર ઊભી રહેવાની નથી, જેના કારણે મુસાફરોએ અમદાવાદના અન્ય નજીકના સ્ટેશનોનો ઉપયોગ કરવો પડશે અથવા રેલવે હેલ્પલાઈન પરથી વિગતો મેળવવી પડશે. એન્જિનિયરિંગ કામગીરી રેલવે ટ્રેકની જાળવણી અને સુરક્ષા માટે અનિવાર્ય હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: ગાઢ ધુમ્મસ વચ્ચે નેશનલ હાઈવે 48 પર ત્રિપલ અકસ્માત, કન્ટેનર ડિવાઈડર કૂદી સામેના રોડ પર પલટી જતાં એકનું મોત