અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં આવેલી એક નોનવેજની દુકાન પર AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ફૂડ વિભાગની ટીમે તપાસ દરમિયાન એસ.કે. ફ્રાય સેન્ટર નામની આ દુકાનમાં અનહાઈજેનિક ફૂડ અને અતિશય ગંદકી મળી આવતા દુકાનને સીલ કરી દીધી છે.
એસ.કે.ફ્રાય સેન્ટર કરવામાં આવ્યું સીલ
લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે AMC દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. અનહાઈજેનિક પરિસ્થિતિમાં ફૂડનું વેચાણ કરવું એ જાહેર આરોગ્ય માટે જોખમી છે. AMC ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવી અનહાઈજેનિક પ્રવૃત્તિઓ ચલાવતી દુકાનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.













