ગુજરાત રાજ્યની કુલ 10 નદીઓ અતિપ્રદૂષિત (Highly Polluted) કેટેગરીમાં મૂકવામાં આવી છે, જે રાજ્યમાં જળ શુદ્ધિકરણના પ્રયાસોની નિષ્ફળતા દર્શાવે છે. ઓક્ટોબર 2025માં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, સાબરમતી નદી અને ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત નદીઓ તરીકે નોંધાઈ છે. ખાસ કરીને, સાબરમતી નદીમાં આવેલો વૌઠાનો પટ્ટો સૌથી વધુ ઝેરી હોવાનો ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે. આ 10 પ્રદૂષિત નદીઓમાંથી 4 નદીઓને 'પ્રાયોરિટી-1' કેટેગરીમાં મુકવામાં આવી છે, જેનો અર્થ છે કે તેમનું પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી છે.

પ્રાયોરિટી-1 માં સમાવેશ

  • અમલખાડી
  • ખારી નદી
  • ઢાઢર
  • વિશ્વામિત્રી

આ ઉપરાંત, મિંઢોળા, શેઢી, અમરાવતી, અને ભોગાવો નદી પણ પ્રદૂષિત બની છે. આ નદીઓનું પાણી માત્ર મનુષ્ય માટે જ નહીં, પરંતુ જળચર જીવો (Aquatic Life) માટે પણ અત્યંત જોખમી બની ગયું છે. નદીઓના શુદ્ધિકરણ પાછળ રાજ્ય સરકારે કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ નિષ્ફળ ગયો હોવાનું રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે. નદીઓને પ્રદૂષણમુક્ત કરવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડી ચમકારો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ક્યાં કેટલું તાપમાન...