પૂરપાટ ઝડપે ટ્રકચાલકે બાઈટને ટક્કર મારી અને રામછાપરી- વિઠ્ઠલાપરા ગામ પાસે અકસ્માત સર્જાયો છે, અકસ્માત સર્જી ચાલક ટ્રક મૂકીને થયો ફરાર, તો ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને યુવાનોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા. તો પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

વિરમગામ હાઇવે પર અકસ્માતમાં મોતની ઘટના

વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે અને વિરમગામ હાઇવે પર રામછાપરી- વિઠ્ઠલાપરા ગામ વચ્ચે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પુર ઝડપે ચાલતા આઇસર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધા હતા અને યુવાનો પર ટાયર ફરી વળતા તેમનું મોત થયું છે. મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત છે.

અકસ્માત સર્જી આઇસર ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર

મહેશ(માયાભાઇ) દેવાભાઇ લોરીયા કોળીપટેલ ઉ.વ 17, કિશનભાઇ બળદેવભાઇ રેથલીયા કોળીપટેલ ઉ.વ. 30 ના મોત નિપજ્યા છે, બંને મૃતકો ભાસ્કરપરા ગામ તા-લખતર સુરેન્દ્રનગરના રહેવાસી છે, અને અકસ્માતને લઇ વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, બાઇક ચાલકે વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ આવતા હતા એ દરમિયાન રોંગ સાઇડમા આવેલા આઇસર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : કડકડતી ઠંડી માટે રહો તૈયાર, ગુજરાતમાં શીતલહેરની આગાહી