નરોડા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા સાયબર અપરાધીનો ભોગ બની છે. સાયબર ગઠિયાએ મહિલાના મૃતક પતિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, તેમાંથી લાખો રૂપિયાની લોન મેળવી રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી
પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલાને ગઠિયાએ લોન સંબંધિત એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ દ્વારા ગઠિયાએ મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. મહિલાના પતિનું અવસાન થઈ ચૂક્યું હોવા છતાં, ગઠિયાએ તે મૃતક પતિના સક્રિય ક્રેડિટ કાર્ડનો ડેટા એક્સેસ કરી લીધો હતો. આ કાર્ડના આધારે આરોપીએ બેંકમાંથી ₹3,56,000 ની લોન મંજૂર કરાવી હતી.










