અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ગઈકાલે મોડી રાત્રે 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોટા સમઢીયાળા, અનિડા અને કોટડા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો.ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.

1.9ની તિવ્રતાનો આંચકો આવ્યો

અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ગઈકાલે મોડી રાત્રે 1.44 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત ગામમાં મોડી રાત્રે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. 1.9ની તિવ્રતાનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટી કરાઈ હતી.

સતત બે દિવસ તાલાલામાં ભૂકંપ આવ્યો હતો

ગત નવેમ્બર મહિનાની 19 અને 20 તારીખે ગુજરાતમાં તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 19 તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 2.7ની નોંધાઇ હતી. જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિ.મી દૂર નોંધાયું હતું. જ્યારે 20 તારીખે તાલાલામાં અડધા કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતાં. 2:29 અને 2:53 કલાકે આંચકો આવ્યો હતો.


આ પણ વાંચોઃ Vadodara માં મતદાર યાદી સુધારણાનું મેગા ઓપરેશન, 20.75 લાખ ફોર્મ ડિજિટલાઈઝ, SIR ની કામગીરી પૂરજોશમાં