હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. તણાવને કારણે દુબઈ, અબુધાબી જેવા ગલ્ફ શહેરોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ અમેરિકા દ્વારા પણ ઈરાન પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. આ યુદ્ધની સ્થિતિને લઈને અમરેલીના જ્યોતિષીએ આજથી 20 વર્ષ પહેલા ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી જે આજે સાચી ઠરી છે.
ભવિષ્યમાં ભારતનો સુવર્ણ યુગ આવશે
અમરેલીના જ્યોતિષી જયપ્રકાશ માઢકે આજથી 20 વર્ષ પહેલા ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. આ ભવિષ્યવાણી આજે સાચી ઠરી છે. ગઈકાલે આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડરનું મોત થયું છે. જયપ્રકાશ માઢલે પરમાણું યુદ્ધને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. તેમની આગાહી પ્રમાણે સમગ્ર યુરોપ યુદ્ધની આગમાં લપેટાઈ જશે. ભવિષ્યમાં ભારતનો સુવર્ણ યુગ આવશે.
