અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઓળીયા અને ચરખડિયા ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહુવા થી જામનગર જતી એસટી બસ અને એક ઓટો રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી મહિતી અનુસાર, મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓટો રીક્ષાએ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.













