અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગસરાના જુના ઝાંઝરીયા ગામે વાડીમાં કામ કરતા બે ખેતમજૂરોના કૂવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં એક સાથીને બચાવવા જતાં બીજા મજૂરે પણ જીવ ગુમાવ્યો છે.
અમરેલી કૂવામાં પડતા 2 ખેતમજૂરના મોત
ઘટનાની વિગતો મુજબ, જુના ઝાંઝરીયા ગામની એક વાડીમાં ખેતમજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે એક ખેતમજૂર વાડીમાં આવેલા ઊંડા કુવામાં ખાબક્યો હતો. પોતાના સાથીને ડૂબતો જોઈ, બીજો મજૂર તેને બચાવવા માટે તાત્કાલિક કુવામાં કૂદી પડ્યો હતો. જોકે, કુવામાં પાણી વધારે હોવાથી અને કોઈ સાધન ન હોવાથી બંને મજૂરો બહાર નીકળી શક્યા નહોતા અને આખરે ડૂબી જવાથી બંનેના મોત થયા હતા.










