ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાનો મોટો દાવ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનો ગઢ ગણાય છે, ત્યાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે અતૂટ નાતો ધરાવતા અને APMCના ડિરેક્ટર નગીનભાઈ સોલંકીએ આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે.
200થી વધુ કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો
નગીનભાઈ સોલંકી એકલા નહીં, પરંતુ તેમની સાથે 200થી વધુ સમર્થકો અને સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ સામૂહિક પક્ષપલટાથી આંકલાવ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે.
