આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક અને અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો પર આખરે તંત્રએ લાલ આંખ કરી છે. ઉમરેઠ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


 પોલીસ અને પાલિકાની ટીમ મેદાને

ઉમરેઠ બસ સ્ટોપ વિસ્તારમાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઉમરેઠ પોલીસ અને નગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ મોરચો સંભાળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

બસ સ્ટોપથી વડાબજાર સુધી સપાટો

તંત્ર દ્વારા આ ઝુંબેશ ખાસ કરીને બસ સ્ટોપથી વડાબજાર સુધીના મુખ્ય માર્ગ પર ચલાવવામાં આવી હતી. આ માર્ગ શહેરનો સૌથી ધમધમતો વિસ્તાર હોવાથી અહીં દબાણોની સમસ્યા વધુ જટિલ હતી. રસ્તા પર અડચણરૂપ ઉભી રહેતી લારીઓ દૂર કરવામાં આવી.વેપારીઓ દ્વારા દુકાનની બહાર કાઢવામાં આવેલા ઓટલા અને છાપરાંઓ પર કાર્યવાહી કરાઈ.પાથરણાવાળા અને રસ્તા રોકીને વેપાર કરતા લોકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું.

આ પણ વાંચો: સોમનાથ-ભાવનગર હાઈવે પર બ્રિજમાં મોટી તિરાડો, વાહનચાલકોના જીવ અધ્ધર



  • Follow us on: