ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાનોલીની 'ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

મળતી માહિતી મુજબ, આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ દૂર-દૂર સુધી આકાશમાં નજરે પડતા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના પ્લાન્ટમાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર અને પાનોલીના 5થી વધુ ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરત કોર્પોરેશનમાં અગ્ર સચિવ મિલિંદ તોરવણે વહીવટદાર તરીકે નિમાયા

  • Follow us on: