ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રાજકીય ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘરજની પંચાલ જિલ્લા પંચાયત બેઠક પર મોટા પાયે પક્ષ પલટો જોવા મળ્યો છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના 100 થી વધુ કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
આંતરિક અસંતોષ બન્યો કારણ
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અને AAPમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યકરોમાં ભારે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો હતો. નેતાગીરી પ્રત્યેની નારાજગીને કારણે પંચાલના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કાનજીભાઈના પુત્ર નારણભાઈ સહિતના અગ્રણી કાર્યકરોએ પક્ષનો સાથ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પક્ષ પલટાને કારણે વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે.
