પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને તેના સાથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી

પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભરત ચૌધરી અને નિતિનભાઈ ચૌધરી (ફરિયાદી)ને ભાર્ગવ મંડોરા (લાલો) સાથે પૈસાની બાબતે વિવાદ થયો હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ અને અન્ય એક વ્યક્તિ રામદેવ હોટલ નજીક આવ્યા, જ્યાં આરોપી ભગર્વ મંડોરા (લાલો) અને તેના સાથે 24 લોકો હથિયારો સાથે એકઠા થયા હતા.

 ભરતભાઈ ચૌધરીનું મોત

 તપાસ અનુસાર આ શખ્સોએ નિતિનભાઈ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી તથા ભરતભાઈ ચૌધરી પર પણ જીવલેણ હુમલો કર્યો, જેના પરિણામે ભરતભાઈ ચૌધરીનું મોત થયું હતું.આરોપીઓએ બ્રેઝા કારના કાચ તોડીને રૂ. 25,000નું નુકસાન કર્યું હતું. 


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: