બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલા પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરમાં તસ્કરો ત્રાટકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી
રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.













