ભરૂચ GIDCમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવાના નામે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી 'લાફાબાજી' અને ધમાલનો મામલો હવે જોર પકડી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, એક જવાબદાર ધારાસભ્ય તરીકે કોઈને લાફો મારવો કે કાયદો હાથમાં લેવો તે જરાય યોગ્ય નથી.
"ચૈતર વસાવા કાયમ આવું જ કરતા આવ્યા છે"
મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે કામદારોના મોત થયા છે તેમને યોગ્ય વળતર મળે તે માટે અમે પહેલેથી જ તંત્ર અને કંપની સાથે વાતચીત કરી છે. પરંતુ ચૈતર વસાવાની આદત કાયમ આવી જ રહી છે. એક લોકપ્રતિનિધિ તરીકે તેમણે યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ, તેને બદલે ગેટ કૂદીને અંદર જવું અને સુરક્ષાકર્મીઓ કે અન્ય સાથે આવી વર્તણૂક કરવી તે પદની ગરિમાને શોભતું નથી.













