ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબી (ACB) સતર્ક બની છે. દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકીએ એક મૃતકના પરિવાર પાસેથી કામ કરી આપવાના બદલામાં લાંચની માંગણી કરતા અંતે એસીબીએ તેમને ટ્રેપ કરીને ઝડપી લીધા છે.
ભરૂચ ACBની મોટી કાર્યવાહી
જાન્યુઆરી 2026માં એક ખાનગી કંપનીમાં બાંધકામ દરમિયાન અકસ્માતે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે અંગે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારને મરણના દાખલાની જરૂર પડતા તેઓએ તલાટીનો સંપર્ક કર્યો હતો. તલાટીએ મરણના દાખલા માટે 'મોતની જાહેરાત' અને 'પીએમ (પોસ્ટમોર્ટમ) નોટ' જેવા પોલીસ કાગળોની માંગણી કરી હતી.
