ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. ઘોઘાગેટ પોલીસ ચોકીની બિલકુલ સામે જ અસામાજિક તત્વોએ સિટી બસમાં તોડફોડ કરી ડ્રાઇવરને માર મારતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં સિટી બસના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ

મળતી વિગતો અનુસાર, વહેલી સવારે સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં નડતરરૂપ ઊભેલી રીક્ષાના ચાલકને સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે અસામાજિક તત્વોએ ઘોઘાગેટ પોલીસ ચોકીની સામે જ સિટી બસના ચાલક પર હુમલો કરી દીધો હતો અને બસમાં તોડફોડ કરીને લોખંડી કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા.

કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

વારંવાર ડ્રાઇવર અને કંડક્ટર પર થતા હુમલાઓથી કંટાળીને સિટી બસના તમામ કર્મચારીઓ તાત્કાલિક ફરજ મોકૂફ રાખી હડતાળ પર ઉતરી ગયા હતા. તમામ બસોના પૈડાં થંભાવી કર્મચારીઓ ગંગાજળિયા તળાવ પાસે એકઠા થયા હતા. કર્મચારીઓએ માંગ કરી હતી કે રસ્તા પર ફરજ બજાવતા ડ્રાઇવર અને કંડક્ટરની સલામતી માટે તંત્ર દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે તેમજ હુમલાખોરો સામે કડક કાર્યવાહી થાય.

આ પણ વાંચો: Dwarka: રૂપેણ બંદર નજીક દરિયાકાંઠેથી 61 લાખથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું,પોલીસે તપાસ તેજ કરી