ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તબીબી જગતને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા એક નિર્દોષ યુવકનું વેન્ટિલેટર કથિત રીતે કાઢી લેવાના કારણે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારીના આક્ષેપો બાદ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દ્વારા આ મામલે કડક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારી
મળતી માહિતી મુજબ, મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડ્યુટી પર હાજર 2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારીના કારણે જ તેમના વહાલસોયા યુવકે જીવ ગુમાવ્યો છે.













