પહેલી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થશે અને સત્તાધીશોએ ખેડૂતો વેપારીઓને સૂચના આપી દીધી છે, આ દિવસોમાં કોઈ પણ હરાજી કરવામાં આવશે નહી. અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ અને ડુંગળી સિવાયની જાહેર હરાજી બંધ રહેશે, યાર્ડના સત્તાધીશોએ ખેડૂતો, વેપારીઓ અને વાહન માલિકોને કરી જાણ.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ 6 દિવસ રહેશે બંધ

26 માર્ચથી લઈ 31 માર્ચ સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડ 6 દિવસ બંધ રહેશે અને અનાજ-કઠળો સહિતની હરાજીનું કામ બંધ રહેશે તેવી વાત સામે આવી છે, ખેડૂતો 1 એપ્રિલથી રાબેતા મુજબ માલ માર્કેટિંગ યાર્ડમાં લાવી શકશે, માર્કેટીંગ યાર્ડ ભાવનગર-ઘોઘામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે અને રોજીંદી ત્રણ હજાર ગુણી આવી રહી છે. તો આ સાથે ધાણાની એક હજાર ગુણી, ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક જોવા મળે છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં 50,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે પણ ખેડૂતોને જોઈએ તે રીતનો ભાવ મળતો નથી. ડુંગળીની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવ 100થી 190 રૂપિયા નોંધાયો છે. ડુંગળીના ભાવમાં રુ. 60નો ઘટાડો જોવા મળ્યો છે. 3 દિવસના બંધ રહેલા ઉતારા બાદ યાર્ડમાં મોડી રાત્રે ડુંગળીની થઈ આવક અને ડુંગળીની 50000 ગુણી આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો.


આ પણ વાંચો : Surendranagar News : અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ.1.05 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે