ભાવનગરમાં 25 થી 30 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે અને બે ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે, સિટી સર્વે નંબર 76/69 ની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે, 25 થી 30 જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનો ને પણ દૂર કરવામાં આવ્યા છે.
મનપાની ટીમનો પણ સહયોગ લેવામાં આવ્યો
વર્ષ 2003માં આ સરકારી જમીન ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ વખતો વખત આ જગ્યા ઉપર ફરી દબાણો કરવામાં આવ્યા હતા, ગેરેજ,ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો અને તેની ઓફિસ સહિતના દબાણો દૂર કરાયા છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ વાળી જમીન ખુલ્લી કરવામાં આવી છે, સીટી સરવેની ટિમ તેમજ મામલતદારની ટિમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે, દબાણ હટાવવા માટે મનપાની ટીમનો પણ લેવામાં આવ્યો સહયોગ.













