હજુ તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે ત્યાં જ ભાવનગર શહેરમાં પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. બુધેલથી તરસમિયા સુધી આવતી મહી પરીએજની મુખ્ય પાઈપલાઈનમાં છેલ્લા 10 દિવસથી લીકેજ હોવાને કારણે, આવતીકાલે શહેરના 25થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં પાણીના ધાંધિયા
ભાવનગરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનો પૈકીની એક એવી બુધેલ થી તરસમિયા લાઈનમાં છેલ્લા 10 દિવસથી ગંભીર લીકેજ જોવા મળ્યું હતું. આ લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ લાઈનના રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી, આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.










