ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં બનેલી ચકચારી સોની દંપતી હત્યા કેસમાં પોલીસે આરોપીઓને કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. મિલકત કે અન્ય લાલચમાં આવીને પોતાના જ જણીતા માતા-પિતાની હત્યા કરનાર પુત્ર, પુત્રવધૂ અને સોપારી લેનારા બે હત્યારાઓને સાથે રાખી પોલીસે આજે ઘટનાસ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.


5 લાખની સોપારી અને રાજકોટ-વિસાવદરનું કનેક્શન

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રાજકોટમાં રહેતા પુત્ર અને તેની પત્નીએ (પુત્રવધૂ) આ જઘન્ય હત્યાકાંડ માટે રાજકોટ અને વિસાવદરના બે મુસ્લિમ શખ્સોને રૂપિયા ૫ લાખની સોપારી આપી હતી. આ બંને શખ્સો પુત્રવધૂના મિત્રો હોવાનું પણ ખુલ્યું છે. ચારેય શખ્સોએ સાથે મળીને તળાજામાં સોની દંપતીની કરપીણ હત્યા કરી હતી.

લાઈવ વીડિયોગ્રાફી અને રિકન્સ્ટ્રક્શન

આજે પોલીસ કાફલો, સરકારી પંચો અને FSLના અધિકારીઓની હાજરીમાં આરોપીઓને સોની દંપતીના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં આરોપીઓએ ઘરમાં કઈ રીતે પ્રવેશ કર્યો?દંપતી પર કયા હથિયારથી અને કઈ રીતે હુમલો કર્યો?હત્યા બાદ કયા માર્ગે ફરાર થયા?આ તમામ વિગતોનું આરોપીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેની પોલીસે લોખંડી બંદોબસ્ત વચ્ચે લાઈવ વીડિયોગ્રાફી કરી છે.

આ પણ વાંચો: Jetpur: જૂનાગઢ-આણંદ બસમાં યુવતીની છેડતી કરનાર નરાધમનું જેતપુરમાં સરઘસ


  • Follow us on: