ભાવનગરના ચકચારી મારપીટ કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહીરની ધરપકડ થતા જ પીડિત નવનીત બાલધિયાએ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ લડાઈમાં સાથ આપનાર તમામ લોકો અને તપાસ એજન્સીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


સમાજ અને સરકારનો માન્યો આભાર

નવનીત બાલધિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં તેમની પડખે ઉભા રહેલા કોળી સમાજ અને સમાજના તમામ આગેવાનોનો તેઓ આભાર માને છે. આ સાથે જ તેમણે સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે ન્યાય અપાવવા માટે જરૂરી હસ્તક્ષેપ કર્યો હતો.

SIT ની કામગીરી પર સંતોષ અને વધુ તપાસની માંગ

બાલધિયાએ SITની કામગીરીને બિરદાવતા કહ્યું કે, પોલીસ પ્રશાસને ખૂબ જ તટસ્થ રહીને આ કાર્યવાહી કરી છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કેસમાં માત્ર જયરાજ આહીર જ નહીં, પરંતુ જે કોઈ લોકોએ પડદા પાછળ રહીને આ આખું કાવતરું ઘડ્યું છે, તેમની પણ તપાસ કરી ધરપકડ કરવામાં આવે."મને જે રીતે ન્યાય મળ્યો છે, તે રીતે સમાજના અન્ય પીડિતોને પણ ન્યાય મળતો રહે તેવી મારી ઈચ્છા છે," તેમ બાલધિયાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ દેશભક્તિના સૂરથી ગુંજી ઉઠ્યો, વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે આર્મી બેન્ડનું ભવ્ય આયોજન

  • Follow us on: