ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટીના દિવસે થયેલી મારામારી અને હુમલાની ઘટનામાં બોરતળાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.


ધૂળેટીના દિવસે મારામારી અને હુમલાની ઘટના

ધૂળેટીના પવિત્ર તહેવારના દિવસે હાદાનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કેટલાક ઈસમોએ માથાકૂટ કરી હતી. વાત એટલી વણસી હતી કે આ આરોપીઓએ મહિલાના પરિવારજનો પર જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીડિત પરિવારે બોરતળાવ પોલીસ મથકમાં કુલ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની કડક કાર્યવાહી

ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા અસામાજિક તત્વોમાં ડર પેદા કરવા માટે, આ 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું 'રિકન્સ્ટ્રક્શન' કરાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: કાળજાળ ગરમી માટે તૈયાર રહો! ગુજરાતના અનેક જિલ્લાઓમાં હિટવેવનું યલો એલર્ટ

  • Follow us on: