આ નિર્ણયથી દૈનિક મુસાફરો તથા સામાન્ય શ્રેણીના યાત્રીઓને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળશે. રેલ પ્રશાસન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને મુસાફરીને વધુ સુવિધાજનક, સુરક્ષિત તથા આરામદાયક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ટ્રેનના ઠેરવાઓ, રચના તથા સમયપત્રક અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.


આ ટ્રેનમાં લાગશે વધુ જનરલ કોચ

01-ટ્રેન નંબર 20966/20965 ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સ્થાયી રીતે 04 જનરલ કોચ લગાવવામાં આવશે. આ સુવિધા 06 ફેબ્રુઆરી, 2026થી ભાવનગર તથા ગાંધીગ્રામ બંને સ્ટેશનોથી અમલમાં આવશે.

02-ટ્રેન નંબર 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સ્થાયી રીતે 01 વધારાનો જનરલ કોચ લગાવવામાં આવી રહ્યો છે. આ કોચ 04 ફેબ્રુઆરી, 2026થી પોરબંદર સ્ટેશનથી તથા 06 ફેબ્રુઆરી, 2026થી શાલીમાર સ્ટેશનથી લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટ્રેનમાં જનરલ કોચોની સંખ્યા 02થી વધીને 03 થઈ જશે.

03-ટ્રેન નંબર 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પણ સ્થાયી રીતે 01 વધારાનો જનરલ કોચ લગાવવાની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા 03 ફેબ્રુઆરી, 2026થી પોરબંદર સ્ટેશનથી તથા 04 ફેબ્રુઆરી, 2026થી સિકંદરાબાદ સ્ટેશનથી અમલમાં આવી ચૂકી છે. આ સાથે આ ટ્રેનમાં જનરલ કોચોની સંખ્યા 02થી વધીને 03 થઈ ગઈ છે.


આ પણ વાંચો : Ahmedabad News : AMCની ટીપરવાને વસ્ત્રાલમાં 2 વિદ્યાર્થિનીને ફંગોળી સર્જયો અકસ્માત, વિદ્યાર્થિનીઓ 100 ફૂટ સુધી ઢસડાઈ


  • Follow us on: