પ્રવાસીઓને વિનંતી છે કે, મુસાફરી પૂર્વે સંબંધિત ટ્રેનનો સુધારેલ સમય રેલવે પૂછપરછ, અધિકૃત રેલવે વેબસાઇટ અથવા નજીકના રેલવે સ્ટેશન પરથી અવશ્ય તપાસી લે.


મુખ્ય ફેરફારો નીચે મુજબ છે

01-ટ્રેન નં. 59561 રાજકોટ–પોરબંદર રાજકોટથી પ્રસ્થાન સમય બદલવામાં આવ્યો છે તેમજ માર્ગના વિવિધ સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય સુધારવામાં આવ્યા છે. પોરબંદર સ્ટેશન પર આગમન સમય પૂર્વવત રહેશે. આ ટ્રેન હવે રાજકોટથી સવારે 08.35 વાગ્યાના બદલે 08.50 વાગ્યે પ્રસ્થાન કરશે.

02-ટ્રેન નં. 59422 વેરાવળ–રાજકોટ વેરાવળથી રિબડા સ્ટેશન સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. માત્ર ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 09.17/09.18 વાગ્યાના બદલે હવે 09.04/09.06 વાગ્યે રહેશે.

03-ટ્રેન નં. 19207 પોરબંદર–રાજકોટ વેરાવળથી ગોંડલ સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. ભક્તિનગર સ્ટેશન પર સમય સુધારવામાં આવ્યો છે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 10.00/10.01 વાગ્યાના બદલે હવે 09.50/09.52 વાગ્યે રહેશે.

04-ટ્રેન નં. 59423 રાજકોટ–વેરાવળ રાજકોટથી પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે તથા ભક્તિનગર સ્ટેશન પર સુધારેલ સમય લાગુ રહેશે. આગળ વેરાવળ સુધી સમયમાં કોઈ ફેરફાર નથી. આ ટ્રેન હવે રાજકોટથી સવારે 08.00 વાગ્યાના બદલે 07.55 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેનનું ભક્તિનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય અગાઉના 08.12/08.14 વાગ્યાના બદલે હવે 08.07/08.09 વાગ્યે રહેશે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના કેશોદમાં સગીરાની છેડતીનો કેસ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ, તો એક આરોપી હજી ફરાર


 

  • Follow us on: