ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધ સોની દંપતીની તેમના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

પથારીમાં જ સળગી ગયા પતિ-પત્ની

મળતી માહિતી મુજબ, મૃતક દંપતીની ઓળખ કિશોરભાઈ વૈઠા અને રેખાબેન વૈઠા તરીકે થઈ છે. ઘટના મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જે પથારીમાં દંપતી સૂતું હતું તે પથારી અડધી સળગેલી હાલતમાં મળી આવી છે. પલંગ પર જ બંનેની લાશ સળગેલી અવસ્થામાં જોવા મળી હતી.

આસપાસના લોકોને જાણ સુધ્ધાં ન થઈ

આ ઘટનાનું સૌથી મોટું રહસ્ય એ છે કે, મધરાતે ઘરમાં આગ લાગી હોવા છતાં આસપાસના પાડોશીઓ કે મહોલ્લાના લોકોને તેની જરા પણ જાણ થઈ ન હતી. આગના ધુમાડા કે બૂમાબૂમ જેવી કોઈ પણ હિલચાલ બહાર ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો: Surat: ONGCમાં નોકરીના બહાને 32 લાખનો ચૂનો, કતારગામના દંપતીએ આપ્યા નકલી જોઈનિંગ લેટર અને આઈડી કાર્ડ