ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધ સોની દંપતીની તેમના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
પથારીમાં જ સળગી ગયા પતિ-પત્ની
મળતી માહિતી મુજબ, મૃતક દંપતીની ઓળખ કિશોરભાઈ વૈઠા અને રેખાબેન વૈઠા તરીકે થઈ છે. ઘટના મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જે પથારીમાં દંપતી સૂતું હતું તે પથારી અડધી સળગેલી હાલતમાં મળી આવી છે. પલંગ પર જ બંનેની લાશ સળગેલી અવસ્થામાં જોવા મળી હતી.
