બોટાદમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે જેમાં યુવકે બે વર્ષ પહેલા દોઢ લાખ વ્યાજે લીધા હતા અને યુવકે વ્યાજ ન આપતા વ્યાજખોરોએ માર માર્યો છે, વ્યાજખોર જયુ ગોવાળિયા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે યુવકના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે, અને આરોપીઓ પોલીસ પકડની બહાર છે.


વ્યાજખોરોએ યુવક પર કર્યો હુમલો

બોટાદના સાગાવદર ગામના યુવકને વ્યાજખોરોએ લોખંડના પાઈપથી માર માર્યાની નોંધાઈ ફરીયાદ, સાગાવદર ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા સહિત પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે, સાગાવદર ગામના અનિલભાઈ ધનજીભાઈ લોરીયાને પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપથી મારમારતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, ઈજાગ્રસ્ત યુવકને પ્રથમ બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

યુવકે વ્યાજ નથી ચૂકવ્યું તેવો આક્ષેપ લાગ્યો

ઈજાગ્રસ્ત યુવકે તેના ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા પાસેથી બે વર્ષ પહેલા દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને યુવકે રૂપિયા કે તેનું વ્યાજ આપેલ ન હતું જેના કારણે જયુભાઈ ગોવાળીયા સહિત પાંચ શખ્સોએ યુવકને લોખંડના પાઈપથી માર માર્યાની યુવકે નોંધાવી ફરીયાદ. રૂરલ પોલીસે જયુભાઈ વનરાજભાઈ ગોવાળીયા તેમજ ચાર અજાણ્યા શખ્સો સામે કલમ 117(2),115(1),189(2),191(2),191(3),190,351(3),352,296(B),33(3)42(D) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


આ પણ વાંચો : Railway News : ઇજનેરી કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ



  • Follow us on: