બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જયભાઈ શાહે બુધવાર, 11 ફેબ્રુઆરી 2026ના રોજ સહપરિવાર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પુત્રની પેંડા અને સુખડીથી કરી તુલા
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત આ ધામમાં જયભાઈ શાહે અત્યંત શ્રદ્ધાપૂર્વક દાદાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ પ્રસંગે તેમણે પોતાના પુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, તેમણે દાદાના શિખર પર ધજા અર્પણ કરી રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.













