સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 06-12-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો છે.


[[$googlead]]

હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો

દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે, દાદાને ઓર્કિડના ફૂલનો હાર પહેરાવ્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


[[$alsoread]]

દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો

આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 4 દિવસની મહેનતે 3 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો સિંહાસને ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે.

Surat News : સુરતથી ઉડાન ભરતી Indigoની વધુ 8 ફલાઈટ રદ, ફ્લાઇટ ચોથા દિવસે રદ થતા મુસાફરો રઝળી પડયા


  • Follow us on: