સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને 2 ફ્લાઇટ મોડી પડી છે, રિફંડ અને માર્ગદર્શન ન મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે, સુરત-દિલ્હી, સુરત-ગોવા, સુરત-જયપુર ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત ત્રીજા દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ હતી.


નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે

જેના કારણે હજારો મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર ફસાઈ જવાનો વારો આવ્યો હતો. ઈન્ડિગોની સુરત આવતી અને જતી તમામ ફ્લાઈટો મોડી પડી હતી. આજ રોજ સવારની હૈદરાબાદથી સુરત આવતી ફ્લાઇટ દોઢ કલાક મોડી પડી હતી ત્યારે સવારની દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ સાથે જ બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ હતી. લગ્નસિઝન ટાણે ફ્લાઈટો કેન્સલ થતાં પેસેન્જરો રોષે ભરાયા મહત્ત્વનું છે કે, નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે.

ઈન્ડીગોની દેશભરમાં 300થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી

જેના કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઈન્ડિગોની ફ્લાઈટોને ગંભીર અસર પહોંચી છે. સતત ત્રીજા દિવસે ફ્લાઈટોના શિડ્યુઅલ ખોરવાતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ૩૦૦થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, લગ્ન સિઝન હોવાથી તેમ જ ડિસેમ્બર મહિનો હોવાથી લોકોના પ્લાનિંગ ખોરવાઈ ગયા છે.

Gujarat Flashback 2025 : ગુજરાતમાં વર્ષ 2025માં ડિજિટલ એરેસ્ટના 15 કરતા વધુ ગુના નોંધાયા, સિનિયર સિટિઝન અને નિવૃત વ્યકિતઓ બન્યા સૌથી વધુ ભોગ



  • Follow us on: