ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માગણીઓ સાથે લડી રહેલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. આજે દહેગામ નગરપાલિકા દ્વારા અંદાજે 96 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ હસમુખભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. કાર્યક્રમની આડમાં પશુપાલકોએ પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે આ તક ઝડપી લીધી હતી.


કાર્યક્રમ સ્થળે ભારે સૂત્રોચાર

સાંસદની હાજરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું હતું, ત્યારે કાર્યક્રમ સ્થળની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થઈ ગયા હતા. પશુપાલકોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન માહોલ તંગ બની જતાં સુરક્ષામાં તૈનાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

પોલીસ કાર્યવાહી અને ડિટેઇન

વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા કાર્યક્રમ સ્થળે સૂત્રોચાર કરી રહેલા પશુપાલકોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આંદોલનકારીઓને 'ટાંગાટોળી' કરીને વાહનોમાં બેસાડી દીધા હતા અને તેમની ડિટેઇન (અટકાયત) કરી હતી. પશુપાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત યથાવત રહેશે.

આ પણ વાંચો: Junagadh: ગિરનાર અંબાજી મંદિરમાં વહીવટી તંત્રના કડક પગલાં, રસોયા અને સ્ટાફની પૂછપરછ


  • Follow us on: