દાહોદ જિલ્લાના અભલોડ ગામે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અભલોડ ગામના લીંબુ ફળિયામાં આવેલા તળાવમાં ન્હાવા ગયેલા પાંચ બાળકો પૈકી ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં 12 વર્ષીય કિશોરનું કરૂણ મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
મિત્રને બચાવવા જતાં સર્જાઈ દુર્ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના અભલોડ ગામના લીંબુ ફળિયાના તળાવમાં પાંચ બાળકો ન્હાવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક એક બાળક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના બે મિત્રો તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા.













