રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામમાં વાડી વિસ્તારમાંથી વીજતારની ચોરી થવાની ઘટનાનો ધોરાજી તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી દીધો છે. ખેડૂતના વાડીમાંથી લાખો રૂપિયાની કિંમતના વીજતાર ચોરી જનાર બે આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે.
વીજતારની ચોરીની ફરિયાદના આધારે તપાસ
મોટી પરબડી ગામના રહેવાસી ખેડૂત નિલેશ મનસુખભાઈ ગજેરાએ પોતાની વાડીમાંથી આશરે 300 મીટર લાંબો અને 55 mm સાઇઝનો એલ્યુમિનિયમનો વીજતાર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ ધોરાજી તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.










