જામનગર શહેર અને જિલ્લામાં રાંધણગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને કાળાબજારીને ડામવા માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાહકોએ બે એલ.પી.જી. (LPG) સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવો અનિવાર્ય રહેશે.


પુરવઠાનું સંતુલન જાળવવા નિર્ણય

કેન્દ્ર સરકારના સૂચન અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથેના સંકલન બાદ જિલ્લા પ્રશાસને આ નિયમનો કડક અમલ શરૂ કર્યો છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા એલ.પી.જી. અને પી.એન.જી. (PNG) ના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓથી ભ્રમિત ન થાય અને જરૂરિયાત કરતા વધુ રાંધણગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે.

નિયમભંગ બદલ કડક કાર્યવાહી

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એલ.પી.જી.નો અનધિકૃત સંગ્રહ કરવો.ગેસ સિલિન્ડરની કાળાબજારી કરવી.નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલવા.ઘરેલું ગેસનો અન્ય વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવો.આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ દંડનીય ગુનો બને છે. જિલ્લા કલેક્ટરે તમામ એજન્સીઓ અને વિક્રેતાઓને સૂચના આપી છે કે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

આ પણ વાંચો: Rajkot: AIIMS ના વિદ્યાર્થી રતન મેઘવાળની આત્મહત્યા, સુસાઇડ નોટમાં 'મેન્ટલી ડિસ્ટર્બ' હોવાનો ઉલ્લેખ

  • Follow us on: