રાજકોટ AIIMS હોસ્પિટલમાં MBBS નો અભ્યાસ કરતા અને ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થી રતન મેઘવાળે આજે વહેલી સવારે પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર તબીબી જગતમાં અને વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
માનસિક તણાવનું કરુણ પરિણામ
પ્રાથમિક તપાસ અને પોલીસને મળેલી સુસાઇડ નોટ પરથી જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થી રતન મેઘવાળ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ હેઠળ હતો. આ તણાવને કારણે જ તેણે આ અંતિમ અને આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.










