રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના ખાખરા વિસ્તારમાં આવેલા બાલધા ચોરા પાસેની ગલીમાં આવેલું એક જુનવાણી મકાનનો અમુક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ મકાન મુસતાક બાપુ સૈયદની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજીમાં મકાનની દિવાલ ધરાશાયી
દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં મકાન માલિકની જ દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ઈજાની ગંભીરતાને જોતા તેને વધુ સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.










