કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળિયામાં આગામી 7 જૂન અને રવિવારના રોજ પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનોની પ્રી-મોન્સૂન અથવા જરૂરી સમારકામ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે શહેરમાં સળંગ 6 કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.



સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી વીજળી ગુલ રહેશે

PGVCLના સત્તાવાર વર્તુળો દ્વારા આપવામાં આવેલી પૂર્વ સૂચના અનુસાર, પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સમારકામની કામગીરીને પગલે 7 જૂન, રવિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે જ પોતાના જરૂરી કામો પતાવી લેવા અપીલ કરાઈ છે.


આ વિસ્તારોમાં રહેશે વીજકાપની અસર

6 કલાકના આ વીજકાપના કારણે ખંભાળિયાના અનેક મુખ્ય અને રહેણાંક વિસ્તારો પ્રભાવિત થશે.

  • જડેશ્વર રોડ
  • સ્ટેશન રોડ
  • બેઠક રોડ
  • નવાપરા વિસ્તાર
  • યોગેશ્વર નગર
  • ધોરીવાવ
  • કચોરીયા વાડી
  • બજાણા રોડ

PGVCL દ્વારા આ સમારકામ અંગે અગાઉથી જ પૂર્વ સૂચના જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને નાગરિકો પાણી ભરવા સહિતની વીજળી આધારિત વ્યવસ્થાઓ વહેલી તકે આટોપી શકે.


આ પણ વાંચો - Dwarka News: પટેલકા ગામે ખનીજ માફિયાઓ પર એસઓજીની રેડ, રૂ.1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત


  • Follow us on: