ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.


ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયા

ગાંધીધામ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં શહેરના અતિ વ્યસ્ત એવા ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના માર્ગને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પટ્ટામાં રસ્તાની બંને બાજુએ વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણોને હટાવવા માટે તંત્રએ 5 જેસીબી મશીનોની મદદ લીધી હતી. કુલ 245 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડીને રસ્તાને મૂળ સ્થિતિમાં લાવવાની કામગીરી કરવામાં આવી છે.

રસ્તાઓ થયા ખુલ્લા થતા વાહનચાલકોને રાહત

આ વિસ્તારમાં ગેરકાયદે કેબિનો, ઓટલા અને શેડના કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા, જેના પરિણામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. મનપાની આ કાર્યવાહીને પગલેઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીનો મુખ્ય માર્ગ હવે પૂરતી પહોળાઈમાં ઉપલબ્ધ થયો છે.ગેરકાયદેસર રીતે રસ્તો રોકનાર તત્વો સામે કડક કાયદાકીય સંદેશ ગયો છે.રસ્તાઓ ખુલ્લા થવાથી રાહદારીઓ અને વાહનચાલકોના સમયની બચત થશે અને અકસ્માતનો ભય ઘટશે.

આ પણ વાંચો:Surat: કતારગામ TP સ્કીમનો વિવાદ હવે દિલ્હી દરબારમાં, 'સીપીગ્રામ્સ' પરની ફરિયાદથી તંત્રમાં દોડધામ

  • Follow us on: