10 માર્ચે દુબઈની યાત્રા પર ગયેલા 30 સિનિયર સિટીઝન યુદ્ધ અને તણાવગ્રસ્ત પરિસ્થિતિને કારણે ત્યાં અટવાઈ ગયા છે. આ તમામ સિનિયર સિટીઝન દુબઈના હોટલમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.


 દુબઇથી ફ્લાઇટો કેન્સલ કરી દેવાઇ

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે હાલ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને ઇરાને દુબઇમાં પણ અમેરિકી સંપત્તિઓ પર મિસાઇલ એટેક કર્યા છે જેના કારણે દુબઇથી ફ્લાઇટો કેન્સલ કરી દેવાઇ છે

સિનિયર સિટીઝન દુબઇમાં જ ફસાઇ ગયા

જેથી હાલ સિનિયર સિટીઝન દુબઇમાં જ ફસાઇ ગયા છે. પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ બન્યું હતું,

સિનિયર સિટીઝન દુબઈની હોટલમાં સુરક્ષિત

જો કે હાલ તમામ સિનિયર સિટીઝન દુબઈની હોટલમાં સુરક્ષિત છે જેના કારણે તેમના પરિવારે હાશકારો અનુભવ્યો છે. ફ્લાઇટ સેવા શરુ થાય ત્યારે તમામને વહેલી તકે ભારત લવાશે.


આ પણ વાંચો---    Surat : યુદ્ધની વૈશ્વિક અસરો વચ્ચે હજીરાકાંઠો એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવાઈ


  • Follow us on: